Our contact numbers are currently down. Please reach us at travel@veenaworld.com or 8879973807 or 9152004513. We apologize for the inconvenience

IndiaIndia
WorldWorld
Foreign Nationals/NRIs travelling to

India+91 915 200 4511

World+91 887 997 2221

Business hours

10am - 6pm

મોનાલિસા શા માટે હંમેશા તમારી તરફ એકધારી નજરે જોતી હોય છે?

8 mins. read

Published in the Sunday Gujarat Samachar on 11 August, 2024

મોનાલિસા શા માટે હંમેશા તમારી તરફ એકધારી નજરે જોતી હોય છે? 

મોનાલિઝા નિ:શંક રીતે દુનિયાનું સૌથી પ્રસિદ્ધ પેઈન્ટિંગ છે, જેણે મોનાલિસા રહસ્યમય હાવભાવ અને ભેદી નજર સાથે સદીઓથી જોનારને મોહિત કર્યા છે. લિયોનાર્ડો દા વિન્સી દ્વારા 16 મી સદીમાં તૈયાર કરાયેલું પેઈન્ટિંગ કળાનો ઉત્તમ નમૂનો હતો, જેના થકી પરાપૂર્વથી દા વિન્સીને યાદ કરવામાં આવે છે. લુવ્ર ખાતે પર્યટકોને એવું મહેસૂસ થયા વિના રહેતું નથી કે રૂમમાં મોનાલિઝાની નજર તેમનો પીછો કરી રહી છે. મોહિની ઘણા બધા લોકો માટે રસપ્રદ અને કોયડારૂપ બની રહી છે. જોકે આવું શા માટે મહેસૂસ થાય છે? 

મોહિત કરનારી અસરને સમજવા માટે આપણે રેનેસાં યુગમાં પાછળ જવાનું આવશ્યક છે. તે સમયે ઘણાં બધાં પેઈન્ટિંગ્સમાં ટેક્નિકલ શક્તિ છતાં અમુક જીવંત લાગતી ગુણવત્તાનો અભાવ હતો. ઈતિહાસના સૌથી બુદ્ધિશાળી માનવીમાંથી એક લિયોનાર્ડો દા વિન્સીએ ચિત્ર બદલી નાખ્યું. તેમણે પોતાનાં ચિત્રોમાં સ્નાયુઓનાં માળખાં અને હાડકાંને આબેહૂબ બનાવવા માટે માનવી શરીરરચનાનો ઊંડાણથી અભ્યાસ કરીને તેમની કૃતિમાં અભૂતપૂર્વ વાસ્તવિકતા લાવી દીધી. ઉપરાંત દા વિન્સી માનવીની આંખો ઉજાશ અને અંધકારને કઈ રીતે સમજે છે અને એકઝાટકે બધું સ્પષ્ટ જોવાનું કઈ રીતે ચૂકી જાય છે તે દ્રષ્ટિવિજ્ઞાન અને માનવી નજરથી મોહિત હતા. 

મોનાલિઝાનું પેઈન્ટિંગ કરવા સમયે દા વિન્સીએ માનવી નજર અને કળાત્મક ટેક્નિકોના પોતાના ઊંડા જ્ઞાનનો ઉપયોગ કર્યો.તેમણે `ફુમાતો (તરીળફજ્ઞ) નામે પદ્ધતિનો ઉપયોગ કર્યો, જેમાં રંગો અને રૂપરેખાને રીતે સહજતાથી સંમિશ્રિત કરવાનું સંકળાયેલું છે કે તેમાં કોઈ તીક્ષ્ણ ધારો નહીં હોય. મોનાલિઝાની ખાસ કરીને આંખો આસપાસ તેના ચહેરાના ભાગોને સહેજ ઝાંખા કરીને દા વિન્સીએ એવી અસર નિર્માણ કરી કે તેની એકધારી નજર જીવંત અને લાક્ષણિક હાવભાવ પ્રગટ કરે છે. ગૂઢ ઝાંખપ આંખો વાસ્તવમાં હલનચલન કરતી નહીં હોવા છતાં જોનારને એવું મહેસૂસ કરાવે છે કે તેની આંખો તેમનો પીછો કરી રહી છે.મોનાલિઝાની મીટ લિયાનાર્ડોની બુદ્ધિનો દાખલો છે, જે કળાત્મક કારીગરી અને વૈજ્ઞાનિક સમજને જોડીને એવી મોહિની નિર્માણ કરે છે કે આજે પણ જોનારને મંત્રમુગ્ધ કરીને રહે છે. ફુમાતો ટેક્નિક દ્વારા તેની આંખોની જીવંત લાગતી ગુણવત્તા તેને એવી ગતિશીલ હાજરી આપે છે જે કેન્વાસની પાર જાય છે. તમે મોનાલિઝાની સામે ઊભા રહો ત્યારે તમને ફક્ત પોર્ટ્રેઈટ નહીં પણ જીવંત, શ્વાસ લેતું રહસ્ય અનુભવવા મળે છે, જે તમને કળા અને માનવી ધારણા સાથે સમકાલીન વાર્તાલાપમાં તમને આમંત્રિત કરે છે. 

પિઝા પર પાઈનેપલનો વિચાર કોણ લાવ્યું? 

પિઝા પર પાઈનેપલનો ઉદભવ રસોઈકળા અંગે ચર્ચામાં આવતો રસપ્રદ વિષય છે, જે બાબતે વિવિધ દેશો અને નાગરિકો તેના આરંભ માટે અલગ અલગ દાવા કરે છે. જોકે વિવાદાસ્પદ ટોપિંગ પર તેમાંથી એક સૌથી વ્યાપક માન્ય વાર્તા ગ્રીક- કેનેડિયન રેસ્ટોરાં માલિક સેમ પેનોપાઉલોસની છે. 1962 માં ચેથમ, ઓન્ટારિયોમાં પોતાની સેટેલાઈટ રેસ્ટોરાંમાં અલગ અલગ પિઝા ટોપિંગની અજમાયશ કરતા પેનોપાઉલોસે કેન્ડ પાઈનેપલ અજમાવવાનું નક્કી કર્યું. તેનું પરિણામ જબરદસ્ત હતું. ગ્રાહકોએ પિઝા પર ખારી અને સ્વાદિષ્ટ ફ્લેવર્સ સાથે ખાટા-મીઠા પાઈનેપલનું અજોડ સંમિશ્રણ તેમના ગ્રાહકોમાં બહુ પ્રચલિત બની ગયું. ટૂંક સમયમાં સંયોજન તેમના મેનુમાં મુખ્ય ખોરાક બની ગયો અને આખરે વૈશ્વિક સ્તરે તેનો વ્યાપક સ્વીકાર થયો.પેનોપાઉલોસનો દાવો ઉત્તમ દસ્તાવેજિત છે અને પ્રશંસા કરાઈ છે ત્યારે અત્રે પણ નોંધનીય છે કે આઈલેન્ડર્સ સહિત અન્યોએ પિઝા પર પાઈનેપલના નિર્માણના સંબંધમાં આવો દાવો કર્યો હતો. દાવાઓ છતાં પેનોપાઉલોસને સંશોધન માટે સૌથી વધુ શ્રેય આપવામાં આવે છે. 

જોકે તેમાંથી એક મોટો પ્રશ્ન ઉદભવે છે: પિઝાના નિષ્ણાત ઈટાલિયનો અપારંપરિક ટોપિંગ વિશે શું વિચારે છે? 

પિઝા પર પાઈનેપલ ખાસ કરીને પારંપરિક ઈટાલિયન પિઝા બનાવનારા અને શોખીનોમાં વિવાદાસ્પદ વિષય બની રહ્યો હતો.પિઝા જ્યાં વહાલું રસોઈકળાનું સ્વરૂપ છે તે ઈટાલીમાં પાઈનેપલ જેવા મીઠા ફળનો ઉમેરો કરવાનો વિચાર અપારંપરિક તરીકે જોઈ શકાય છે. 

પરંપરાવાદીઓ દલીલ કરે છે કે પાઈનેપલની મીઠાશ ક્લાસિક પિઝાના સ્વાદિષ્ટ તત્ત્વો સાથે સુમેળ સાધતી નથી અને તે અલગ અલગ ડિશ સાથે માણવા જોઈએ. આમ છતાં અમુક ઈટાલિયનો અજોડ ફ્લેવરનું સંમિશ્રણ માણતા હતા અને જૂજ ઈટાલિયન પિઝેરિયાએ પાઈનેપલનો વૈકલ્પિક ટોપિંગ તરીકે ઉમેરો કર્યો, જે ઉત્સુક અથવા સાહસિક ગ્રાહકોના સ્વાદને પહોંચી વળે છે.પિઝા પર પાઈનેપલનો અજોડ પ્રકાર ચર્ચાની બંને બાજુમાં મજબૂત અભિપ્રાયો સાથે સિદ્ધ છે. ઈટાલિયન વાનગીમાં પારંપરિક ટોપિંગ નથી ત્યારે તેણે અમુક ઈટાલિયનો સહિત દુનિયાભરમાં નોંધપાત્ર રીતે ઘેલું લગાવ્યું છે. યુટ્યુબ પર વિતરિત મજાકિયા વિડિયોમાં ઈટાલિયનો પાઈનેપલ-ટોપ્ડ પિઝાપ્રત્યે જે પ્રતિક્રિયા આપે છે તે અસાધારણ ક્યુલિનરી જોડ આસપાસ ચાલતી દલીલો અને ઉત્સુકતા આલેખિત કરે છે. તમને તે ભાવે કે નહીં ભાવે, પિઝા પર પાઈનેપલે જીવંત ચર્ચાવિચારણા છેડવાનું ચાલુ રાખ્યું છે અને આધુનિક પિઝા સંસ્કૃતિનું અજોડ અને યાદગાર પાસું રહ્યું છે. 

ડબલ લેન્ડલોક્ડ દેશ સામે ટ્રાન્સકોન્ટિનેન્ટલ દેશ 

ભૂગોળની દુનિયામાં વિવિધ દેશો અત્યંત અજોડ સ્થળો ધરાવી શકે જે તેમના જીવનને રસપ્રદ રીતે પ્રભાવિત કરી શકે છે. દેશોમાં બે વિશેષ પ્રકાર છે, ડબલ લેન્ડલોક્ડ દેશો અને ટ્રાન્સકોન્ટિનેન્ટલ દેશો. ડબલ લેન્ડલોક્ડ દેશો દરિયાકાંઠા ધરાવતા નથી અને તે કમસેકમ બે અન્ય લેન્ડલોક્ડ દેશોથી ઘેરાયેલા છે. ટ્રાન્સકોન્ટિનેન્ટલ દેશો અલગ અલગ પ્રદેશ અને સંસ્કૃતિઓને જોડતા એકથી વધુ ખંડ ધરાવે છે. આથી અહીં થોભો અને આવા દેશોના દાખલો વિશે વિચારો! 

યુરોપમાં લિચટેનસ્ટેઈન અને એશિયામાં ઉઝબેકિસ્તાન જેવા ડબલ લેન્ડલોક્ડ દેશો અજોડ પડકારોનો સામનો કરે છે, કારણ કે તેમણે મહાસાગર સુધી પહોંચવા માટે કમસેકમ બે અન્ય દેશો થકી પસાર થવાની જરૂર રહે છે. લિચટેનસ્ટેઈન સ્વિટઝર્લેન્ડ અને ઓસ્ટ્રિયા વચ્ચે વસેલું છે, જ્યારે ઉઝબેકિસ્તાન ખુદ પાંચ લેન્ડલોક્ડ દેશોથી ઘેરાયેલો છે. આથી અહીં વેપાર અને પ્રવાસ વધુ ગૂંચભર્યો અને મોંઘો બનાવે છે. દેશેોએ આંતરરાષ્ટ્રીય જળને પહોંચ મેળવવા માટે તેમના પાડોશીઓ સાથે સારા સંબંધો પર આધાર રાખવાનું આવશ્યક છે, જેથી મુત્સદ્દીગીરી અત્યંત મહત્ત્વપૂર્ણ બનાવે છે. મુશ્કેલીઓ છતાં ડબલ લેન્ડલોક્ડ દેશોએ મોટે ભાગે દુનિયાના બાકી ભાગો સાથે જોડાણ કરવા માટે ક્રિયાત્મક રીત શોધી કાઢી છે અને નજીકનાં રાષ્ટ્રો સાથે મજબૂત ભાગીદારી નિર્માણ કરી છે. 

બીજી બાજુ રશિયા અને ટર્કી જેવા ટ્રાન્સકોન્ટિનેન્ટલ દેશો પાસે એક ખંડથી વધુ જમીન છે. આથી તેમને અલગ અલગ સંસ્કૃતિઓ, વેપાર માર્ગો અને નૈસર્ગિક સંસાધનોને પહોંચ મળે છે. દાખલા તરીકે, રશિયાને યુરોપ અને એશિયાની પહોંચ મળે છે, જેથી તેને વેપાર માટે વૈવિધ્યપૂર્ણ વાતાવરણ અને તકો મળે છે. ટર્કી બોસ્પોરસ સ્ટ્રેઈટ થકી યુરોપ અને એશિયાને જોડે છે, જેથી તેને બે ખંડો વચ્ચે મહત્ત્વપૂર્ણ કડી બનાવે છે. દેશોને તેમનાં વ્યૂહાત્મક સ્થળોનો લાભ મળે છે, જે તેમને આંતરરાષ્ટ્રીય બાબતોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની અનુકૂળતા આપે છે અને સાંસ્કૃતિક પ્રભાવોનું સમૃદ્ધ સંમિશ્રણ માણી શકે છે. 

એકંદરે "નો અનનોન પોડકાસ્ટ સિરીઝમાંથી ત્રણ વાર્તાઓ આપણી દુનિયાનાં અદભુત અને મોટે ભાગે આશ્ચર્યકારક પાસાં આલેખિત કરે છે.અને મને લાગે છે કે પ્રવાસ અદભુત વાર્તાઓ વિશે જાણવા માટે ઉત્તમ રીત છે. 

તે આપણા ગ્રહની અજાયબીઓ પ્રત્યે આપણી આંખો ખોલે છે અને આપણી ઉત્સુકતા વધારે છે. તમારા પ્રવાસમાં તમે સન્મુખ થયા હોય તેવી અમુક રસપ્રદ વાર્તાઓ કઈ છે? મારી સાથે તે  neil@veenaworld.com પર શેર કરી શકો છો, જેથી આપણે અજાયબીઓનો પ્રસાર કરી શકીએ અને આપણા સંપૂર્ણ સમુદાયમાં પ્રવાસનો રોમાંચ લાવી શકીએ. તો આગામી સમય સુધી ખોજ કરતા રહો, શીખવા રહો અને ઉત્સુક બનવાનું અટકાવશો નહીં. 

August 10, 2024

Author

Neil Patil
Neil Patil

Founder & Director, Veena World

More Blogs by Neil Patil

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Looking for something?

Embark on an incredible journey with Veena World as we discover and share our extraordinary experiences.

Balloon
Arrow
Arrow

Request Call Back

Tell us a little about yourself and we will get back to you

+91

Our Offices

Coming Soon

Located across the country, ready to assist in planning & booking your perfect vacation.

Locate nearest Veena World

Listen to our Travel Stories

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

Scroll to Top